શિવ તાંડવ સ્તોત્રમ- કેદારસિંહજી મે. જાડેજા

shivatandav

પ્રસ્તાવના

ઋષિ પુત્ર રાવણ ભલે રાક્ષસ યોનિમાં જનમ્યો હોવા છતાં વિદ્વાન અને શિવ ભક્ત હતો, અનેક ગ્રંથો, સ્તોત્ર, રાવણ સંહિતા રચયિતા તરીકે તેણે સિદ્ધિ પ્રાપ્ત કરેલી, શિવજી પાસેથી તપ દ્વારા અને સાધના થી શક્તિ મેળવેલી, સંસ્કૃતમાં તેનું જ્ઞાન અદ્ભુત હતું. શિવ તાંડવ સ્તોત્ર ભારત ની ઘણી ભાષાઓમાં ઉપલબ્ધ છે, સંસ્કૃત,હિંદી તેમજ અન્ય ભાષા તેના દાખલા રૂપ છે, પરંતુ મારા અભ્યાસ પ્રમાણે તેનું ગુજરાતી ગદ્ય,પદ્ય અનુવાદ/ભાવાર્થ ક્યાંય જોવા મળતો નથી, તેથી ૧૭ સ્લોકમાં રચાયેલા આ સ્તોત્રનો ગાઈ શકાય તેવા રાગમાં અને ઘેર ઘેર વાંચી શકાય તેવી ભાવના થી મારા વડીલ મિત્ર શ્રી જીતેન્દ્રભાઈ પાઢ- તંત્રી શ્રી, નૂતન નગરી ગુજરાતી સાપ્તાહિક નવી મુંબઈ ના સૂચન થી આ સ્તોત્ર નો ગુજરાતી લીપિમાં મેં નમ્ર પ્રયાસ કર્યોછે, મૂળ શ્લોક સાથે ક્યાંક લય તેમજ ઢાળ ગુજરાતીમાં બેસાડવા જતાં ક્યાંક મારે અનાયાસે છૂટ લેવી પડીછે તે ક્ષમ્ય ગણી દરગુજર કરી ભક્તિ ભાવે આ સ્તોત્ર નિત્ય પાઠમાં સૌ વાપરે તેવી મારી અંગત ઇચ્છા રહી છે.

આ શિવ તાંડવ સ્તોત્ર પાછળની નાનકડી કથા એ છે કે તપ કરતાં રાવણ ને ખૂબ મદ ચડ્યો અને ગર્વિષ્ઠ થયો, તેણે પોતાની શક્તિનું પ્રદર્શન કરવા પવિત્ર કૈલાસ પર્વતને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે શંકર ભગવાને તેને પરચો આપવા માટે કૈલાસ પર્વતનો ભાર વધારી દીધો અને ખૂબ વજનદાર બનાવી દીધો, આમ ઓચિંતો પર્વતમાં વજન વધવાથી રાવણ ધુંઆપૂંઆ થઈ ગયો અને ક્રોધે ભરાયો, પણ આ વજન વધારે વાર ઉપાડવા સમર્થ ન રહેતાં તેનો હાથ પર્વની નીચે દબાઈ ગયો, અનેક પ્રયત્નો કરવા છતાં કોઈ કારી ન ફાવી ત્યારે તેણે આ વેદનામાંથી મુક્ત થવા માટે કૈલાસપતિ શ્રી મહાદેવની હૃદય પૂર્વક સ્તુતિ સાથે વિનવણી કરી ત્યારે ભગવાન શિવ પ્રસન્ન થયા અને રાવણને કૈલાસ પર્વતના ભાર થી મુક્ત કર્યો, રાવણની આ સ્તુતિ એટલેજ વિદ્વતા પૂર્વકનું આ શિવ તાંડવ સ્તોત્રછે જેમાં વિકરાળ, ભયંકર રુદ્ર સ્વરનું નિરૂપણ થયુંછે, રાવણની પંડિતાઈનું સુંદર દર્શન કરાવેછે, આ સ્તોત્રનું દરરોજ જે વ્યક્તિ પાંચ વખત મનન કરશે,વાંચન કરીને લય બદ્ધ ગાન કરશે,અને પાંચ બીલી પત્ર તેમજ પાંચ શ્વેતાર્ક પુષ્પથી મહાદેવ શિવને ભજશે તેની મનોકામના પૂર્ણ થશે.

 

 

 શિવ તાંડવ સ્તોત્રમ ગુજરાતી અનુવાદ        ભાવાર્થ સાથે

જટાજૂટ જટા બની, વિશાળ વન ઘટા ઘનિ, પવિત્ર ગંગ ત્યાં વસી, ગરલ કંઠ પલાળતી

સર્પ જ્યાં અનેક માપ, ડમરુ નાદ પ્રચંડ થાપ, તાંડવ શિવ નાચતાં, કૃપા કરો કૃપા કરો..૧

 

જે શિવજીની ઘટાટોપ જટાની અંદરથી ગંગાજીની ધારા પ્રવાહિત થઈને શિવજીના ઝેરને સ્થાન આપેલા કંઠને પ્રક્ષાલિત કરેછે, અને જેમના કંઠમાં અનેક પ્રકારના સર્પોની માળા લટકી રહીછે, અને શિવજી મહારાજ ડમ ડમ ડમ નાદ કરીને ડમરુ વગાડી રહ્યાછે, એવા શિવજી અમારું કલ્યાણ કરો. ૧

 

કોચલી જટા મહીં, ગંગ ત્યાં ભમે ઘણી, ચંચલ જલ ધાર થી, શિવ શીશ પખાળતી

ધધકી રહી અગન જ્વાળ, શિવ શિરે ચમકદાર, શોભે ત્યાં ચંદ્ર બાળ, કૃપા કરો સદા કાળ..૨

 

અતિ ગુંચવાએલી જટામાં ગંગાજી પોતાની વેગીલી ધારાથી ભ્રમણ કરીને શિવજીના શીશ ને પખાળેછે. અને જેમના મસ્તક પર અગ્નિ ની જ્વાળા ધધકી રહીછે, અને જેમના મસ્તક પર બાળ ચંદ્ર શોભાયમાન છે, એવા શિવજીના ચરણોમાં મારું મન સદા પ્રેમ સભર રહે.. ૨

 

નગાધિરાજ નંદિની, વિલાસ સંગ આનંદીની, કરે કૃપા દયાળ તો, ભીડ ટળે ભક્તની

દિગંબરા જટા ધરા, લગાવું ચીત શિવ ચરણ, ભભૂત નાથ ભવ તરણ, પ્રફુલ્લ ચિત તવ શરણ..૩

 

પર્વતરાજ હિમાલયપુત્રિ ના આનંદ મય કટાક્ષથી આનંદિત શિવજીની કૃપા થાય તો ભક્તોના હર પ્રકારના દુખો દૂર થાયછે, એવા દિગંબર જટાધારી ભભૂત નાથના ચરણોમાં મારું ચિત ક્યારે આનંદિત રહેશે…૩

 

શોભે જટા મણીધરો, પ્રકાશ પુંજ ફણીધરો, દિશા બધી પ્રકાશતી, કેસર વરણસી ઓપતી,

ગજ ચર્મ શોભતાં, સર્વ પ્રાણી રક્ષતાં, મન વિનોદિત રહે, શિવ કેરા શરણમાં..૪

 

શીવજીની જટામાં રહેલા ફણીઘરો ની મણીઓના પ્રકાશથી દિશાઓ  કેસર વરણી શોભેછે,  ગજાચર્મ જેવા વસ્ત્રથી  શોભતાં, સર્વે પ્રાણીઓનું રક્ષણ કરનારા આપના ચરણોમાં મારું મન સદા આનંદિત રહે…૪

 

સહસ્ત્ર દેવ દેવતા, ચરણ કમલને સેવતા, ચડાવી માથે ચરણ ધૂલ, પંકજ પદ પૂજતા.

શોભતા ભુજંગ જ્યાં, ચિત રહે સદાય ત્યાં, કૃપાળુ ચંદ્ર શેખરા, આપો સદાએ સંપદા..૫

 

સર્વે દેવતાઓ જેમના ચરણ કમળ ને સેવે છે, જેમના ચરણોની ધૂળ માથા પર ધારણ કરેછે, જેમને સર્પોની માળા ધારણ કરી છે, એવા હે શિવ અમોને સદા માટે સંપત્તિ પ્રદાન કરો…૫

 

ગર્વ સર્વ દેવના, ઉતારવા અહમ્ સદા,  કર્યો ભસ્મ કામને, જે રૌદ્ર રૂપ આગથી.

સૌમ્ય રૂપ શંકરા, ચંદ્ર ગંગ મુકુટ ધરા, મૂંડકાની માળ ધરી, સંપત્તિ દેજો ભરી..૬

 

સર્વે દેવતાઓના ગર્વ ને ઉતારવા માટે આપે આપના મસ્તકની જ્વાળા થી કામ દેવને ભસ્મ કરી દીધો, હે શીતળ ચંદ્ર ની કાંતિ વાળા, ગંગાજીને ધારણ કરનારા, મુંડકા ની માળા વાળા શિવ અમોને અખૂટ સંપતી પ્રદાન કરો…૬

 

જે કરાલ ભાલ જ્વાલના, પ્રતાપ કામ ક્ષય થયો, ઇંદ્ર આદી દેવનો, મદ તણો દહન થયો.

 ગિરજા સુતાના વક્ષ કક્ષ, ચતુર ચિત્રકારના, ચરણ કમલ શિવ ના, શરણમાં ચીતડું રહે..૭

 

હે શિવ, આપના મસ્તક ની જ્વાળા થી કામદેવ ને ભસ્મ કરી નાંખનારા, ઇંદ્ર જેવા દેવતાઓના અહમ નો નાસ કરનારા, ગિરિજા પુત્રીના વક્ષ સ્થલ પર ચિત્રકારી કરનારા શિવજીના ચરણ કમળમાં સદા મારું ચિત રહે…૭

 

નવીન મેઘ મંડળી, આંધી સમ કંઠ હરિ, હાથી ચર્મ શોભતાં, ચંદ્ર ગંગ શિર ધરી

સકળ જગના ભારને, સહજમાં સંભાળતા, અમ પર ઉપકાર કર, સંપત્તિ પ્રદાન કર..૮

 

નવીન મેઘની ઘટાઓથી પરિપૂર્ણ, અમાસના અંધકાર જેવા ગૂઢ કંઠ વાળા, ગજ ચર્મથી સુશોભિત, ચંદ્ર અને ગંગા ને શિર ધરનારા, જગત ના ભાર ને સહજ માં ધારણ કરનારા શિવજી અમોને અનેક પ્રકારની સંપતી આપો…૮

 

નીલ કમલ સમાન કંઠ, પૂર્ણ પ્રકાશિત કંધ, કાપો સકળ સૃષ્ટિ દુખ, ગજાસુર હંતા.

વિધ્વંસ દક્ષ યજ્ઞ કર, ત્રિપુરાસુર હનન કર, અંધકાસુર કામ હર્તા, નમૂ ભગવંતા..૯  

 

નીલ કમલ જેવા કંઠ વાળા, પૂર્ણ પ્રકાશિત (વિકસિત)કાંધ વાળા, ગજાસુર ને હણ નારા, સમગ્ર સૃષ્ટિ નું દુખ હરો. દક્ષ પ્રજાપતિ ના યજ્ઞ નો વિધ્વંસ કરનારા, ત્રિપુરાસુરને માર નારા, અંધકાસુર અને કામ નો ક્ષય કર નારા, શિવ ને હું નમન કરું છું…૯

કલ્યાણ કારી મંગલા, કળા સર્વ ભ્રમર સમા, દક્ષ યજ્ઞ ભંગ કર, ગજાસુર મારી

અંધકાસુર મારનાર, યમના પણ યમરાજ, કામદેવ ભસ્મ કર્તા, ભજું ત્રિપુરારિ..૧૦

 

મંગલ મય કલ્યાણ કારી ભ્રમરો ની કળા જેવા, દક્ષ ના યજ્ઞ નો ધ્વંસ કરનારા, ગજાસુર અંધકાસુર ને માર નારા, યમ ના પણ યમ રાજ, કામ દેવ ને ભસ્મ કરનાર હે ત્રિપુરારિ હું આપ ને ભજું છું…૧૦

 

વેગ પૂર્ણ સર્પના, ત્વરિત ફૂંકાર ફેણના, ધ્વનિ મધુર મૃદંગના, ડમરુ નાદ ગાજે   

અતિ અગન ભાલમાં, તાંડવ પ્રચંડ તાલમાં, શોભે શિવ તાનમાં, સદા શિવ રાજે..૧૧

 

સર્પોના ફુત્કાર જેવો વેગ ધરાવ નારા, મૃદંગ નો મધુર અવાજ અને ડમરુ નો નાદ કરનાર. લલાટ માં અગ્ની સાથે પ્રચંડ તાલ માં તાંડવ કરનાર શિવ ની શોભા અપરમ પાર છે…૧૧

 

જે પથ્થર કે ફૂલમાં, સર્પ મોતી માળમાં, રત્ન કણ કે રજ મહી, અંતર નહીં આણે

શત્રુ કે સખા વળી, રાજા પ્રજા કમલ કથીર, ગણતા સમાન શિવ, જીવ ક્યારે માણે..૧૨

 

પત્થર હોય કે ફૂલ, મોતી હોય કે સર્પ ની માળા હોય, રત્ન હોય કે માટી હોય, એમાં કોઇ પણ ભેદ ન રાખ નારા, શત્રુ હોય કે મિત્ર હોય, રાજા હોય કે પ્રજા હોય, કમળ હોય કે કથીર, શિવજી સર્વને સમાન માને છે, પણ હું તેમનું ભજન ક્યારે કરું?

 

બનાવી ગીચ કુંજમાં, વસું હું ગંગ કોતરે, કપટ વિનાનો આપને, શિવ અર્ઘ્ય આપું

અથાગ રૂપ ઓપતી, સુંદર શિવા શીશ લખ્યું, મંત્ર શિવ નામનું, સુખ સમેત હું જપું..૧૩

 

કોઇ ગીચ લતા મંડપમાં, ગંગાજી ની કોતરમાં, વસવાટ કરું અને કપટ છોડીને શિવજીને અંજલી આપતાં આપતાં અથાગ રૂપવતી પાર્વતી માતાના મસ્તક પર લખેલા શિવ મંત્રને વાંચીને હું સુખે થી જાપ કરૂં….૧૩

 

દેવાંગના ના મસ્તકે, શોભી રહ્યા જે પુષ્પછે, પરાગ ત્યાંથી પરહરી, પહોંચે શિવ દેહછે

આનંદ અપાવે સર્વ જન, સુગંધને ફેલાવતી, અપાવતી હ્રદય મંહી, પ્રસન્નતા અપાર છે..૧૪

 

દેવાંગનાઓના મસ્તક પર શોભતાં પુષ્પો છે તેમાંથી ઊડતી પરાગ રજ શિવજીના દેહ પરથી પસાર થઈને સર્વે ભક્ત જનો સુધી આનંદ અને સુગંધ ફેલાવેછે, અને હ્રદયને પ્રસન્નતા અપાવેછે…૧૪

 

પાપ હો પ્રબલ ભલે, સમુદ્ર દવ સી કાપતી, સૂક્ષ્મ રૂપ ધારિણી, સિદ્ધિ દાત્રી દેવીઓ 

વિવાહ પ્રસંગે શિવના, ધ્વનિ હતી જે મંત્રની, દુ:ખો મિટાવી સર્વના, વિજય અપાવે દેવીઓ..૧૫

 

પ્રચંડ દાવાગ્નિ ની જેમ કે સમુદ્રમાં લાગેલા દવ ની જેમ, સૂક્ષ્મ રૂપ ધરેલી સિદ્ધિ આપનારી દેવીઓ થી શિવ વિવાહમાં ગાન કરવામાં આવેલ મંગલ ધ્વનિ બધા મંત્રોમાં સર્વ શ્રેષ્ઠ છે, જે બધાના સાંસારિક દુખો મિટાવી ને વિજય અપાવેછે…૧૫

 

નમાવી શીશ શિવને, સ્તવન કરેજે સર્વદા, પઠન કરે મનન કરે, ભજન કરે જે ભાવથી.

જીવ આ જંજાળ થી, મુક્તિને છે પામતો, જીવન મરણ મટે સદા, શિવ શરણ તે રાચતો..૧૬

 

જે શિવજીને શીશ નમાવી, આ શ્લોક ની સ્તુતિ કરે, પાઠ કરે, મનન કે ભાવ થી ભજન કરે,  તે જીવ સંસારની આ જંજાળ માંથી મુક્તિ પામેછે અને જીવન મૃત્યુ ના તાપ માંથી મોક્ષ પામેછે અને સદા શિવજીના ચરણોમાં વાસ કરેછે…૧૬

 

રાવણ રચિત આ સ્તોત્રથી, પૂજન કરે જો શિવનું, પઠન કરે જે સાંઝના, ભાતું ભરે જીવનું. 

ભર્યા રહે ભંડાર સૌ, અશ્વ ગજ ને શ્રી રહે.  સંપતીમાં રાચતો,  ના કદી વિપદ રહે..૧૭

 

શિવ પૂજન ના અંતે સાંજના રાવણ રચિત આ સ્તોત્રથી પાઠ કરે, જાપ કરે તે જીવન નું ભાતું ભરેછે, તેનાં ભંડાર ભાર્યા રહે છે, ધન સંપતીમાં રચ્યો પચ્યો રહે છે, તેને કદી દુખ ભોગવવું પડતું નથી…૧૭

 

રચ્યું જે સ્તોત્ર રાવણે, અનુવાદ શું કરી શકું,  ઉમદા અલંકારને ” કેદાર ” શું સમજી શકું

સહજ બને ભક્તને, એ ભાવથી સરળ કર્યું, પ્રેમથી પૂજન કરે,   એ આસથી અહીં ધર્યું..૧૮

 

શિવજીના મહાન ભક્ત રાવણ દ્વારા રચાએલ આ અતિ ઉત્તમ રચનાને હું સામાન્ય જીવ શું સમજી સકું? છતાં સર્વે ભક્ત જનો ને સરળ ભાષામાં સમજાય, અને પ્રેમથી પૂજન કરી શકે એ આશાએ મેં આ અનુવાદ અહિં રજૂ કર્યો છે…૧૮

 

ઇતિ શિવ તાંડવ સ્તોત્ર અનુવાદ સંપૂર્ણ.

 

અનુવાદક.

કેદારસિંહજી મે. જાડેજા      ગાંધીધામ  94261 40365.

NALIYA JAIN PILGRIMAGE PLACE -DINESH VORA

 

COPY AND PASTE OR CLICK

http://www.youtube.com/watch?v=XRVx0iaMb1M

DEDICATED
Temple primarily of       Lord Chandraprabhu of Jainism.
With two other temples of Lord       Shantinath and of Astapada.

LOCATED
Located on the Nagda  street of the Naliya town in Kutch, Gujarat, India.

 

CREATED
Built on the Fifth day of the  bright half of the month of Magh (Vasant Panchmi) in the year 1897 of the   Vikram era. this extremely splendid temple with sixteen large peaks and       fourteen pavilions

ART AND SCULPTURE

The beautiful carving on the   stones of this temple, is famous for its special workmanship. The glass  work is also very beautiful.
The sixteen peaks of this large temple,   brightly shine like a  heavenly residence.

 

E mail Courtsey:  Mahendra Vora

તક બાય ચાન્સ…

“સરી ગયેલી તક જીવનમાં ફરી નથી મળતી.પણ હા, નવી તકો જરુર મળે છે”

‘તક’ આ બે અક્ષરોનો નાનકડો શબ્દ બહુ લપસણો અને સરકણો હોય છે. વળી મનમૌજીલો પણ ખરો. જીવનના કયા વળાંકે ક્યારે એ સામે ભટકાઈ જશે એનો કોઇ જ સમય કે ધારાધોરણો પહેલેથી નક્કી નથી હોતા. આપણે બસ આપણી સમજદારીના આંખ અને કાન ખુલ્લા રાખી સતત આપણી આજુ-બાજુ એની હાજરીની એંધાણીઓ શોધતા રહેવું પડે. સજાગ સાબદા રહેવું પડે છે અને જરાક પણ અણસાર આવે એટલે ચીલઝડપથી એનું પગેરું ચાંપીને ફટાક દેતાંક્ને એનો ‘થપ્પો’ કરી દેવો પડે છે. જરાક પણ ગફલત રહેવાનું ના પોસાય એમાં. જોકે સાચી તકો સમયસર સમજવી અને ઝડપવી એ સરળ નથી. અમુક સમયે તક જતી રહે ને આપણે બીજા જ જ રસ્તે તક્ને શોધતા ફરતા હોઇએ..

એક અમેરિકન લેખક હતા હોર્થોન. એમને પોતાની ગવર્નમેન્ટની સલામત નોકરીમાંથી એકાએક જ બરતરફી મળી. એ નિરાશાની ખાઇમાં ગર્ત થઈ ગયા. જીવનની કટોકટી ભરેલી આ પળોએ એમની વ્હારે આવ્યા એમના મિત્રતુલ્ય પત્ની. નિરાશાના વાદળોમાંથી આશાની રોશની શોધી કાઢી અને પતિના ટેબલ પર એક પણ અક્ષ્રરનો વાદ્-વિવાદ કર્યા વગર શાહીનો ખડીયો અને કલમ મૂકીને કહ્યું,
“ ઘણા વખતથી તમારા મગજમાં નવલકથા લખવાનો વિચાર રમતો હતો તો ઇશ્વરે હવે એ વિચારને પૂર્ણ કરવાની તક આપી છે. તો ઝડપી લો હવે.જે થયું સારા માટે જ થયું. “ Continue reading

“મિચ્છામી દુક્કડમ”

   માફીની આ મહેફિલમાં, કંઇ મસ્તી નથી હોતી
   ક્ષમાની આ સાધના, કંઇ સસ્તી નથી હોતી 
ખામવા અને ખમાવવામાં જબરજસ્તી નથી હોતી
 આપો દીલ શત્રુને તો વેરની હસ્તી નથી હોતી

We forgive all living beings and beg  from the bottom of our hearts without any reservation,

for the forgiveness from all living beings to whom we may have caused pain and suffering

in this life or previous lives, knowingly or unknowingly, mentally, verbally or physically.

MICHHAMI DUKKADAM !

Email Courtsey : Dr. MJ Kapadia

નથી ખબર કે કેટલો   અમારા માટે આદર
છતા રહે ભીની  અમારા વાત્સલ્યની ચાદર
ફરી વાર એક ‘મિચ્છમી દુક્કડમ’  કહી તમને
કરું ખાલી બસ અમારા સંવીત મન વાદળ

વર્ષ દરમ્યાન થયેલ મતભેદ  મનભેદ ન બને તેની તકેદારી રુપે “મિચ્છામી દુક્કડમ” કહી મત અને મન શુધ્ધી થતી હોય છે.ફક્ત આ માફી સાચા હ્રદયથી માંગવાની હોય છે.

it is between you and God- Mother Teresa

“People are often unreasonable and self-centered. Forgive them anyway.
If you are kind, people may accuse you of ulterior motives. Be kind anyway.
If you are honest, people may cheat you. Be honest anyway.
If you find happiness, people may be jealous. Be happy anyway.
The good you do today may be forgotten tomorrow. Do good anyway.
Give the world the best you have and it may never be enough. Give your best anyway.

For you see, in the end, it is between you and God. It was never between you and them anyway.”

E mail Courtsey _ Vijay Dharia -Chicago

ભગવાન મહાવીરનું સંક્ષિપ્ત જીવન -બિમલ શાહ

મહાવીર જયંતિ …

નમસ્કાર મંત્ર …

નવકાર મંત્ર …
સ્વર: બિમલ શાહ …

નમો અરિહન્તાણં |
નમો સિધ્ધાણં |
નમો આયરિયાણં !
નમો લોએ સવ્વાસાહૂણં |
એસો પંચનમોક્કારો સવ્વ-પાવ-પ્પણાસણો |
મંગલાણં ચ સવ્વેસિં પઢમં હવઈ મંગલમં || Continue reading

આખરી શેષ માર્ગ-શ્રીમદ રાજચંદ્ર

  • જે કાંઇ થાય તે થવા દેવું

  • ન ઉદાસીન કે અનુદ્યમી રહેવું

  • ન પરમાત્મા પ્રત્યે પણ ઇચ્છા કરવી કે મુંઝાવું

  • “શું થશે ?” એવો વિચાર પણ ન કરવો અને જે થાય તે કર્યા કરવું

  • મુશ્કેલીમાં અધિક ઝાંવા નાખવા પ્રયત્ન કરવો નહીં

  • અલ્પ પણ ભય રાખવો નહીં, સભાન જાગ્રુત રહેવું

  • ઊપાધિ વખતે જેમ બને તેમ નિઃશંકપણે રહી ઉદ્યમ કરવો.

  • “કેમ થશે?” એવો વિચાર મુકી દેવો

  • યોગ્ય ઉપાય થી પ્રવર્તવુ

Rigidity kills, flexibility survives:-Ramesh Jain

Rigidity in ideas, thinking pattern, attitude and perception is one of the major causes for conflicts, friction, anger, irritation and frustration. It influences one’s personality and affects one’s family life, relationship with friends, relatives and professional life. It is the major deciding factor for quality and quantity of life.

A person who lives life based on rigid principles and expects other family members too to live based on his/her principles, is the one who attracts maximum pain in life. Not only this person attracts pain for himself but also gives pain to others. He suffers the most and makes others suffer too. While such people make their own lives miserable they do not miss a chance to make others life miserable. These people get so much accustomed of living a life of friction and conflicts that it gives them lot of Ego satisfaction seeing others suffer due to these frictions. In fact it so happens that when there are no friction or conflict they feel restless. Under ignorance, they also think that their rigid attitude helps inculcating discipline, building up character and good habits.

These people never understand that whatever they are creating is not harmony but misery. They are preaching not adjustment but rigidity. They are teaching not principled living but egoistic living. There cannot be a bigger show of Ego than showing off how simple and principled you are.

It is said that it is not the strong wind which brings down the tree but it is the tree’s rigidity and ego of standing tall that makes it fall. A small plant does not fall even in a cyclonic storm because it does not resist the onslaught of wind’s direction and speed. It bends itself in the direction of the wind to allow the wind to pass off peacefully and once the wind stops it again comes back to its original state. Big tree falls because of its resistance to the strong winds. When it loses its resistance power, it falls.

Be flexible like a small plant. Bend yourself adjusting to the demand of situation, people, time and place. Do not always try to impose ideas on others though healthy discussions are welcome. Create no resistance whatsoever and let others feel comfortable in your company. Let your nature be such that people do not run away from you but they look for opportunity to be in your company.

There can be nothing more important than saving a relationship from breaking down or saving a situation from becoming bitter. During bitterness one would wastes precious moments of life which otherwise could have been spent in happiness. And saving a relationship will also give another opportunity to help bring forward your point of view, if the matter is so serious and needs to be addressed.

HAPPIEST PERSON IS NOT ONE WHO GETS THE BEST OF EVERYTHING BUT IS ONE WHO MAKES THE BEST OF EVERYTHING.

Ramesh Jain

www.poornaananda.org

Email from Chandan Pokerna