ધર્મ કહે છે -આત્મા પર્માત્માનુ એક સ્વરુપ છે તેથી તે સર્વગુણ સંપન્ન અને અનંત વીર્ય અને અનંત શક્તિનો માલીક છે.
સામાન્ય બુધ્ધી આ વાતને સમજી નથી શકતી કે માની નથી શકતી કારણ કે જો આત્મા સર્વ ગુણ સંપન્ન હોય તો તે ભવાટવીમાં કેમ ભટકે છે? તેને જ્ઞાન હોય તો તે પાપના માર્ગે મુરખની જેમ કેમ ચાલ્યા કરે છે?
આ બધા પ્રશ્નોનો જવાબ કર્મ વિજ્ઞાને આપેલો છે તે પ્રમાણે આત્મા પ્રમાદમાં પડે છે તેથી તેના ઉપર વિવિધ કર્મના પુદગલો ખેંચે છે જે આત્માની શક્તિ કુંઠીત કરે છે જેમ ૧૦૦ વોલ્ટના બલ્બ ઉપર જાડા અપારદર્શક આવરણો લાગ્યા પછી તેમાંથી પ્રકાશ બહાર ન નીકળે તો વિજ્ઞાન અને સામાન્ય બુધ્ધી એમ જ કહેશે બલ્બ પ્રકાશીત નથી. પણ વાસ્તવમાં તો તે પ્રકાશીત છે તે પરિણામ આપણે આવરણો દુર કરીયે ને તરત દેખાય છે.
Advertisements