મૃત્યુ
2008 September 24
ધર્મ તો એમ માને છે .
આત્મા અમર છે. મૃત્યુ દેહનું છે આત્મા તો ક્ષણ નાં ત્રીજા ભાગમાં નવો દેહ ધારણ કરે છે
સામાન્ય બુધ્ધી કહે છે
ચેતનાનાં પ્રતિક સમો આત્મા જતા રહ્યાં પછી દેહ નકામો છે. દેહ ત્યાગની આ પ્રક્રીયા સગા વહાલાને રડાવે છે તે રુદ સ્વાર્થનું છે. હવે મારી મા નથી . હું નમાયો થઈ ગયો કે બા વિના બાપુજી એકલા પડી ગયા..તે પોતાનું ગાણૂં છે. અને તેથી જ કદાચ એ આત્મા જે દેહ ગુમાવી ચુક્યો છે તે કદી પાછો આવતો નથી.
રુદન જ્યારે સ્વનુકશાનનાં ગાન સ્વરુપે હોય તો તે કર્મબંધ કરે છે
જન્મ્યું તે જાય..નો નાદ જનાર સાથે ન જનારનો અફસોસ હળવો કરે છે.