આત્મ સ્વરુપને જે જાણે તે મુક્તિને પામે.
2008 May 26
ધર્મ કહે છે આત્મા એ ચૈતન્ય સ્વરુપ છે. જે હયાત હોય તો તે જીવ અને તેની ગેર હાજરી તેને અજીવ કહેવાય છે.
સામાન્ય બુધ્ધી (સા.બુ.)કહે છે શરીરમાં જે જીવ હોય ત્યાં સુધીજ તેની નિત્ય ક્રિયા જેવી કે શ્વાસ લેવો હ્રદયનું ધબક્વુ કે હલન ચલન થાય્..તે ન હોય તો શરીર મૃત્યુ પામ્યુ કહેવાય.
જે શ્રધ્ધેય છે તે સમજે છે કે આ ચૈતન્ય સ્વરુપ અજર અને અમર છે. તે દેહ બદલે છે અને જ્યારે તે દેહ બદલે છે ત્યારે નાશવંત દેહ મૃત્ય પામ્યો તેમ કહેવાય છે. અને તેથી સદગત કે સ્વર્ગવાસી શબ્દ મૃત્યુ પામેલ વ્યક્તિ માટે વપરાય છે. સા.બુ. કહે છે આ શબ્દ પ્રયોગ આડાકતરી રીતે આત્મા શરીરથી જુદો છે તેમ સુચવે છે.