સ્વાધ્યાય કેમ કરવો જોઇએ?
2008 May 16
ધર્મ કહે છે “સ્વ”નો અભ્યાસ એટલે સ્વાધ્યાય.
અહીં “સ્વ” એટલે શરીરમાં વસેલો આત્મા.
તેહ્યી આત્મા વિશેનો અભ્યાસ એટલે સ્વાધ્યાય એવુ બૃહદ સ્વરુપે મનાય.
સામાન્ય બુધ્ધી (સા.બુ.)થી વિચાર કરીયે તો કાળ ચક્રના આ અઘરા આરામાં આત્મ જ્ઞાન એ લુપ્ત થતું જ્ઞાન છે.કારણ કે વિકસતા વિજ્ઞાને માનવને બહિર્મુખ બનાવ્યો છે. તેને સુખ ભૌતિક સ્થિતિમાં દેખાય છે. અને તેથી આત્મજ્ઞાન ને કે અંતરમુખ બનાવતા દરેક રસ્તા થી તે દુર ભગે છે. સુખ મળે તેવા દરેક સાધનોથી તે લગભગ આખી જિંદગી છેતરાય છે અને નવા કર્મોનાં અતિ જાડા અને ચીકણા કર્મો બાંધી તે ભવાટવીમાં જાણે અજાણે ભટક્યા જ કરે છે. ખરેખર તેનુ ધ્યેય તો ભવાટવીમાંથી મુક્ત થઈ સિધ્ધગામી મોક્ષ છે.આવુ સમજાવતું પરમાત્માનું જ્ઞાન અને તેનું ચિંતન તે સ્વાધ્યાય કહેવાય છે.