વસ્તુપાળ અને તેજપાળ બે ભાઇઓ
મોટો વસ્તુપાળ અને નાનો તેજપાળ પરદેશ જતી વખતે સંપતિ દાટવા જતા હતા ત્યાંથી વધુ સંપતિ મળી તેનો સદુપયોગ કરવા રસ્તા શોધતા હતા ત્યાં તેજપાળ જીવલેણ માંદગીમાં પછડાયા.
વસ્તુપાળે તન મન ધનથી ચાકરી કરી પણ કશું કારગત થતું નહોંતુ ત્યારે તેજપાળની આંખમાં આંસુ સુકાય નહીં. વસ્તુપાળ ધર્મ સમજાવે, કર્મ સમજાવે, કુટુંબને સાચવીશ,પણ તેજપાલનું રૂદન ના શમે. ત્યારે વસ્તુપાળ કહે ભાઇ જીવનની છેલ્લી ઘડીએ તારો મુંઝારો નહીં કહે તો મને કેમ સમજાશે તારા મનની પીડા ?
તેજપાળ કહે ભાઇ! મને યાદ છે બચપણમાં ગુરૂ ભગવંતોએ કહેલા શ્રાવકોનાં આચારનો એક આચાર હું ચુકી ગયો છું. વસ્તુપાળ કહે ભાઇ આપણે બધાજ આચાર પાળ્યા છે જીવદયા રુડી કરી છે તપ કર્યા છે સંઘયાત્રા કરી છે તિર્થાટનો કર્યા છે.સુપાત્રે દાન કર્યા છે..
તેજપાળ કહે હા પણ ભાઇ તે બધુ સાચુ પણ અત્યારે મને એક વાત યાદ આવે છે અને તે છે મેં છતી શક્તિએ પ્રભુજીની મુર્તિ નથી સ્થાપિત કરી. નથી મેં મુર્તિ ભરાવ્યાનું ગુપ્ત દાન કર્યુ કે નથી સંઘને રોજ સેવાપૂજાનો લાભ મળે તેવી એક અંગુઠા જેટલી મુર્તિ નથી ભરાવી.
વસ્તુપાળે તે જ ક્ષણે પ્રણ લીધું કે તે સર્વ ધન દેરાસર બાંધવામાં વાપરશે. છતી શક્તિએ જે દેરાસરમાં મુર્તિ ન ભરાવે તે શ્રાવક તણા આચાર ચુકે છે.તેજપાળે દેહ છોડ્યો પણ ત્યાર પછી જેટલા દેરાસરો વસ્તુપાળે બંધાવ્યા તે વસ્તુપાળ તેજપાળનાં દેરાસરો કહેવાયા. કહેવાય છે કે આરસ્માંથી કોતરણી કરીને જેટલી કણ નીકળે તે ભારોભાર સોનુ વસ્તુપાળ આપતા અને સ્થપતિઓને બહુજ માન અને સન્માન થી રાખતા.
ઇશ્વરે કદી કીધું નથી કે તમને પીડા વગરના દિવસો આપીશ. દુઃખ નહીં ફક્ત હાસ્ય આપીશ. વાદળ વિનાનો સૂર્યપ્રકાશ આપીશ.
……..પણ
- એણે એ જરુર કીધું છે કે તમને પીડા સહન કરવાની તાકાત આપીશ.
- રડીને હળવા થવાની રાહત આપીશ.
- રસ્તો સુઝે એવો પ્રકાશ આપીશ….
વીતી ગયેલી ક્ષણોને સુધારી નવી શરુઆતની તક તો કોઇને મળતી નથી. પણ આ ક્ષણ થી પ્રારંભ કરીને નવો અંત મેળવવાની તક તો દરેક જણ મેળવી શકે છે !
નિરાશાઓ રોડ પર આવતા બમ્પ જેવી હોય છેઃ તમારી ગતિ થોડીક વાર માટે રુંધાય જરુર છે,
પણ પછી ની સફર માં તો આનંદ મળે જ છે… માટે બમ્પ પર જ રોકાઇ ના જતા,
આગળ વધતા રહેજો!
જ્યારે જોઇતું હોય એ ના મળે ત્યારે નિરાંત જીવે બેસીને ખુશ થજો,
કારણ કે ઇશ્વર તમને કૈંક વધારે સારું આપવાનું પ્લાનીંગ કરી રહ્યા હશે!
સારા-નરસા અનુભવ થાય ત્યારે યાદ રાખજો કે જીવનની દરેક ઘટના તમને શીખવાડે છે
કે કેવી રીતે જીવનમાં વધુ પ્રસન્નતા મેળવવી…
કે કેવી રીતે દુઃખથી ભાંગી પડવામાંથી બચવું…
કોઇ તમને ચાહે એવી ફરજ પાડવી તો શક્ય નથી. તમારે તો તમને કોઇ પ્રેમ કરી શકે એવી વ્યક્તિ બનવાની કોશિશ કરતારહેવાની છે.
માપ્યા વગરનો પ્રેમ કરશો ત્યારે જ પ્રેમ કેટલો છે એ માપી શકશો !
જેને પ્રેમ આપવો ગમે અને જેને આપતા હો તેને પણ તમારા પ્રેમનો પ્રતિસાદ આપવો ગમતો હોય એવી વ્યક્તિ મળી જાય ત્યારે મોં ધોવા ના જતા!
માનને ખાતર પ્રેમ ગુમાવવા કરતાં પ્રેમને ખાતર માન ગુમાવવાનું પસંદ કરજો..
પ્રેમ કરવા સંપૂર્ણ પાત્રની રાહ જોવા કરતાં પ્રેમ કરતાં હો એ પાત્રને સંપૂર્ણ પ્રેમ કરવાના પ્રયત્ન કરજો.
તમને જ્યારે કોઇની સાચી પરવા હોય ત્યારે
તમે નથી જોતા એની ખામીઓ.. તમે એને સ્વીકારી લો છો
નથી માંગતા જવાબો….એના બચાવો ને સ્વીકારી લો છો
નથી શોધતા ભુલો…. એ સુધારવાની મહેનત માં લાગી જાવ છો
જુના મિત્રોને ક્યારેય ગુમાવતા નહીં
એની જગ્યા લઇ શકે એવું કોઇ કદીય મળશે નહીં
મૈત્રી wine છે…જેટલી જુની એટલી લજ્જત વધુ !-
લેખકઃ અજ્ઞાત વિલાસ ભોંડે ના ઇ મેલ પરથી

Often when we lose all the hope and think this is the end.
God smiles from above and says
“Relax guys, it is just a bend, not the end”.
We will have a helping hand in one way or other
it we who have to explore that adventure
પ્રભુ એ પરમ તત્વ ને પામેલ એક વખતે આપણી જેમજ શ્વસતા જીવતા માણસ હતા.
તે પરમ તત્વ ક્યારે અને કેવી રીતે પામ્યા તે તો ઇતિહાસવિદો, અચાર્યો અને ધર્મ પુસ્તકો કહેતા હોય છે
મારી સામાન્ય બુધ્ધી એમ કહે છે કે
મેં જ્યાંરે બાંધ્યો અપેક્ષાઓનો દોર..ત્યારે ત્યારે પ્રભુએ દીધા બે વરદાન
એક તથાસ્તુ અને ધાર્યુ તે થયુ તેથી સુખ ઉપજ્યુ.
બે યથાસ્તુ અને ધાર્યુ ના થયુ તેથી દુ:ખ થયુ.
અને સાથે કહ્યું કે જો મારા જેવુ થવુ હોયતો પર થાવો આ અપેક્ષા અને ઉપેક્ષનાં ચક્રોથી
ફક્ત કર્યા કરો સર્વ કાર્યો તટસ્થ ભાવથી અને જોયા કરો જે ઘટે તે નિસ્પૃહ ભાવથી
સુખ આવે છે. આવવા દો.સુખ જાય છે. જવા દો.
દુખ આવે છે આવવા દો. દુખ જાય છે જવા દો.
ભવાંતરે જ્યારે તે કર્તૃત્વ ભાવ શુન્ય થશે ત્યારે આત્મા પરમાત્મા થશે.
આજની નિરાશાની પળ તે પ્રભુનું વરદાન “યથાસ્તુ “

ઉત્સવોની ઉજવણીની સાથે તેનો મહિમા પણ ખબર હોય તો તે ઉજવણી સરસ રીતે સમજાય.
થોડીક લંબાણથી અત્યારે વાત કરું જે જૈન કુટુંબોમાં સુવિદિત હશે જ પરંતુ અત્યારે તેનો સંદર્ભ મને યોગ્ય લાગે છે.
વાત છે ગોશાળા નામના તેમના શિષ્યની..પ્રભુ પાસે આત્મ કલ્યાણક ઘણું શીખતા શીખતા કોઇક તબક્કે સ્વરક્ષણ હેતુથી તેજોલેશ્યા નામની વિદ્યા પ્રભુ પાસેથી તે શીખ્યો. વચ્ચે તેના માઠા કર્મના ઉદયે ધર્મવિપરિત વાતો કરી જુદો પંથ સ્થાપી તેના શિષ્ય સમુહની સાથે પ્રભુ મહાવીર ની વિચારધારાનો વિરોધ કરવા લાગ્યો અને એક તબક્કે ક્રોધીત થઇને ગુરુ ઉપર તેજોલેશ્યા છોડે છે. પ્રભુ મહાવીર તો તે વખતે કેવલી અવસ્થામાં હતા તેથી તેજોલેશ્યા ગોશાલા તરફ પાછી વળે છે. અને તેના તાપમાં પીડાતા ગોશાલાથી પ્રભુ મૃત્યુનિદાન જાહેર થઇ ગયુ. છેલ્લા 72 કલાક પ્રભુએ અંતિમ દેશના આપી અને દિવાળીની મધ્ય રાત્રી એ તેઓ કાળધર્મ પામ્યા
સા.બુ. કહે કે જો મૃત્યુનો પ્રસંગ હોયતો ઉદાસીન રહેવું જોઇએ તેને બદલે ઉજવણી કેમ?
મૃત્યુ પામ્યા પછી પ્રભુ મહાવીર મોક્ષે ગયા જ્યાં સિધ્ધપદ પામીને જન્મ મરણમાંથી મુક્ત થયા તે નિર્વાણ પામ્યા માટે તે દુખનો પ્રસંગ ન રહેતા સુખ્નો અને ઉજવણીનો પ્રસંગ બને છે. અને તેજ સમયે ગુરુ ગૌતમસ્વામી એટલેકે બેસતા વર્ષની પરોઢે કેવળ જ્ઞાન પામે છે જે ઉજવણીનો બીજો મહત્વનો પ્રસંગ છે
What is the meaning and the benefits of ‘Namaskar’?
Origin and the meaning of the word ‘Namaskar’
The word ‘Namaskar’ is derived from the root ‘namaha’, which means paying obeisance (Namaskar) or salutation.
From Science of Justice – ‘Namaha’ is a physical action expressing that ‘you are superior to me in all qualities and in every way’.
Worldly Benefits
- By doing Namaskar to a deity or a Saint, unknowingly their virtues and capabilities are impressed upon our minds. Consequently we start emulating them, thus changing ourselves for the better. read more…
મૂલ્યો એટલે માન્યતા, મૂલ્યો એટલે વલણો. મૂલ્યો એટલે રીતિનીતિ… જેના ઢાંચા ઉપર સમાજની ઇમારત ચણાય છે. જેના માપદંડથી સમાજ પરખાય છે. આ મૂલ્યોને નવા કે જુના આપણે ક્યારે કહી શકીએ તે પ્રથમ દ્વિધા છે.
આમ તો આપણો સમાજ પરિવર્તનશીલ છે. કંઈક નવું આવે એટલે જેનું અસ્તિત્વ હતું તે જુનું થાય એ સમાજ હોય… વ્યક્તિ હોય કે મૂલ્ય હોય… દ્વિધા એ છે કે આ મૂલ્યોને જુના કે નવા કહેવા માટેની એક રેખા દોરવી છે. તો તે રેખા કઈ હોઈ શકે સમય કે પેઢી? જો સમય હોય તો ગઈકાલની વાત જુની ગણવી કે ૧૯૫૦ની વાત જૂની ગણવી? અને જો પેઢી ગણવાની હોય તો કઈ પેઢી? આજે જીવે છે તે નવી અને જૂની એટલે જે જીવતી નથી તે?
આ દ્વિધાનું નિરાકરણ થવું જરૂરી છે આપણે એ સ્પષ્ટતા બહુ યોગ્ય રીતે કરી શકીશું નહીં તેથી એક મર્યાદા સ્વીકારી લઈએ છીએ અને તે આજે જીવતી બે પેઢી એટલે કે પિતા અને પુત્ર, પિતાના મૂલ્યોને જુના ગણીશું. પુત્રના મૂલ્યોને નવા ગણીશું. સમયની મર્યાદા એ બંને પેઢી એમની ને એમની રીતે રજૂ કરશે જ… પણ મૂલ્ય કંઈ એક જ પ્રકારનું થોડું છે? મૂલ્યના ઘણા બધા પ્રકારો છે અને તે ઘણા બધા પ્રકારોમાં જૂની પેઢી અને નવી પેઢી બંને કેટલીક બાબતોમાં સહમત થતી હોય છે અને કેટલીક બાબતોમાં નથી થતી. આપણે એક પછી એક બધી બાબતોમાં ઉદભવેલા બે મૂલ્યોની ચર્ચા કરીએ – અને પછી તેમાંથી મારી દ્રષ્ટિએ શું શ્રેષ્ઠ હોઈ શકે તે પણ લખીશ. read more…
photo courtsey: divyabhaskar.co.in
પ્રમાણિકતાથી કાર્ય કરો
જૈન મુનિ વિજય રામચંદ્રસુરીનું વ્યાખ્યાન ચાલી રહ્યું હતું. તેમણે કહ્યું- જે કામ કરતા તમને તમારો આત્મા ડંખતો હોય તે કામ ન કરો. જે કામ તમારી સાથે કોઈ કરે અને તમને ન ગમે તે કામ ન કરો. પ્રમાણિકતાથી કાર્ય કરો. વક્તામાંથી પ્રતિભાવ આવ્યો. આજના સમયમાં અપ્રમાણિક કાર્યોમાં કયું સારુ અને કયું ખરાબ એ શોધીને સારુ અપ્રમાણિક કાર્ય કરવું પડે તેમ છે, કારણ કે પ્રમાણિક કાર્ય કરવાથી કમાઈ શકાય તેમ તો રહ્યું જ નથી.
જ્યાં જુઓ ત્યાં અપ્રમાણિકતા દેખાઈ રહી છે. રિક્ષાના મીટરનું ભાડું બે રૂપિયા પાંત્રીસ પૈસા થયું હોય તો અઢી કે ત્રણ રૂપિયા માગશે, નહીંતર છુટા પૈસા આપો ની વાત થશે. નવ રૂપિયા ને સાઈઠ પૈસાની બસની ટિકિટનું ભાડું હોય તો દસ રૂપિયા જ ગણવાના, કારણકે ચાલીસ પૈસા છૂટા તો ક્યાંથી હોય? આઠ વાગ્યે ઑફિસમાં આવવાનો સમય હોય તો સવા આઠે આવવાનું, છૂટવાનો સમય ચાર વાગ્યાનો હોય અને સાડાત્રણે જોઇએ તો ટેબલ ઉપરના ચોપડા બંધ હોય… વચમાં લંચબ્રેક તો ત્રીસ મિનિટને બદલે પિસ્તાલીસ મિનિટ ભોગવાઈ જ હોય…
એંડ્ર્યુ કાર્નગીની ઑફિસમાં એક નાનો ક્લાર્ક. ઑફિસ પૂરી થયા પછી પણ ટેબલ ઉપર બેઠો હતો. સંજોગોવશાત એંડ્ર્યુ કોર્નગીને એક પેન્સિલની જરૂર પડી – બેલ મારી અને તેની નજર ઘડિયાળ પર ગઈ -
પછી થયું કે અત્યારે તો કોઈજ નહીં હોય એમ વિચારીને જાતે ઊભો થઈને લેવા જતો હતો ત્યાં પેલા ક્લાર્કે ચેમ્બરનો દરવાજો ખોલ્યો. એંડ્ર્યુ કોર્નગીને નવાઈ તો લાગી અને પૂછયું – ‘તમે હજી અહીં છો?’ પેલા ક્લાર્કે જવાબ આપ્યો ‘મને થયું આપ હજી ચેમ્બરમાં છો – આપને કંઈક જરૂર પડશે તેમ માનીને હું રોકાયો કહો શું કામ હતું?’ એંડ્ર્યુએ કહ્યું ‘મને પેન્સિલ આપી શકશો ?’ ‘જરૂરથી સાહેબ’ કહીને સસ્મિત વદને તેણે લાવી આપી. ત્યાર પછીના છ મહિનાના ટૂંકા ગાળામાં જ પ્રમોશન મેળવીને અંગત સલાહકાર બની ગયો.
પ્રમાણિકતા એ ચલણમાં ચાલતો રોકડો રણકતો રૂપિયો છે. તે સફળતા જરૂર અપાવે છે. લાંબાગાળાની પણ તેની પરખ તરત જ થઈ જાય છે. અને જે એને પારખી લે છે તે તેની નોંધ કર્યા સિવાય રહેતો નથી. એ જ વસ્તુ અપ્રમાણિકતા માટે પણ સાચી છે તે ક્વચિત ટૂંકાગાળાની સફળતા જરૂર અપાવે છે, પરંતુ લાંબે ગાળે તને કડડભૂસ થતા વાર લાગતી નથી
એમનું નામ શાંતિલાલ. કરમચંદ. ભરુચ પાસે નિકોરા એમનું વતન. એમનો વિકાસ થવાની બાબતમાં એક નાનકડી ચાર આની કામ કરી ગયેલ. ૧૯૪૦ના સમયમાં પેટિયું રળવા મુંબઈ દોરી- લોટા સાથે પહોંચેલા. ભાગ્યું તૂટ્યું અંગ્રેજી બોલતા આવડે પણ કોઈ કામ કરવામાં નાનમ નહીં, અને પડ્યો બોલ ઉઠાવી લેવામાં પ્રમાણિક.
ડોકયાર્ડ ઉપર નવી નોકરી મળી. કૅપ્ટન જોન ભારે ચોક્કસ, પરીક્ષા કરવામાં ભારે ઉસ્તાદ. શરૂ શરૂમાં ડોકયાર્ડ પરના જહાજ સાફ કરવાનું કામ તે સમયમાં સોંપાયેલું અને સૌથી છેલ્લી કૅબિન કૅપ્ટન જોનની સાફ કરવાની. જ્યારે તે કૅબિનમાં દાખલ થયા ત્યારે તે કૅબિનમાં કોઈ હતું નહીં. કૅબિન સાફ કરતાં કરતાં પલંગ નીચે ચાર આની પડેલી મળી. કૅબિન સાફ કરીને ચાર આની પલંગ ઉપર મૂકી દીધી. પછી તો કૅબિનમાંથી દરરોજ કંઈક મળે. પણ દરરોજ તે એની યોગ્ય જગ્યાએ ગોઠવાઈ જાય.
કૅપ્ટન જોન આમ એમની વારંવાર લાલચો આપીને પરીક્ષા જ કરતા હતા. પરંતુ શાંતિલાલને તો એમના દાદાની વાત ઉપર પૂરો ભરોસો હતો. તેમના દાદા કહેતા, કોઈનો એક ઘઉંનો દાણો પણ હરામનો આપણે ત્યાં આવે તો તે તો જાય પણ સાથે ઘરના પણ બે દાણા લેતો જાય – તેથી જ્યાં સુધી તે નોકરી પર રહ્યાં ત્યાં સુધી કૅબિનમાંથી કશું ગયેલ નહીં. શીપ છૂટવાનો દિવસ આવ્યો ત્યારે કૅપ્ટન જોને શાંતિલાલને સાથે આવવા પૂછ્યું, અને શાંતિલાલ તૈયાર થઈ ગયા. બે વર્ષે શીપ પાછુ આવ્યું ત્યાં સુધીમાં નેવીગેશનનું ઘણું બધું શીખીને આવ્યા હતા. કેપ્ટન જોને પોતાની નેવીગેશન કંપનીમાં ભાગીદારી આપી ત્યારે કહેલું “શાંતિલાલ – આ તારો ચાર આની ભાગ – તને તારા પહેલા દિવસની ચાર આની પાછી મૂકવાની પ્રમાણિકતાનો છે, સમજ્યો ?”
પ્રમાણિકતાના સમયમાં જેમ અપ્રમાણિક બનવું અઘરું છે તેમ અપ્રમાણિકતાના જમાનામાં પ્રમાણિક બનવું અઘરું છે. પ્રમાણિક માણસ જ્યાં ને ત્યાં ટીકાને પાત્ર બનતો હોય છે. બાઘો છે, કોમન સેન્સ નથી તેવી તેના વિશે વાતો થતી હોય છે. તેથી વિજય રામચંદ્રસુરી મહારાજે તેમને જવાબમાં કહ્યું – “જો તમે તમારી અપેક્ષાઓને અને ઇચ્છાઓને કાબૂમાં રાખી શકશો તો પ્રામાણિક જરૂર થઈ શકાશે પણ મારી પાસે હજી સ્કૂટર છે – ગાડી લાવવી છે. બંગલો કરવો છે, તેમાં રંગીન ટીવી લાવવું છે, ફ્રીજ લાવવું છે, જેવી અપેક્ષાઓના વાઘને લોહી ચખાડતા જશો, તો પ્રામાણિક નહીં થઈ શકો, અને પછી શું થશે તે ખબર છે?
શ્રોતાનો જવાબ નકારમાં સાંભળીને મહારાજે કહ્યું – “હાઈ બીપી, હાર્ટ એટેક, એસીડીટી, ઇન્ક્મટેક્સની રેડ, સેલ્ટેક્ષની મુદ્દતો, છોકરો કુસંસ્કારી નીક્ળ્યો, છોકરીનું નામ બગડી ગયું….. હવે તમારે જ નિર્ણય કરવાનો તમારે શું કરવાનું બરાબરને?”
પ્રમાણિક બનો. લાંબાગાળાની સફળતા મેળવો, અપ્રમાણિક બનો લાંબાગાળાની નિષ્ફળતા સહો.
જૈન સ્તવન :
આલ્બમ : સ્તવન ગંગા
સ્વર – સંગીત – કવિ : ??
ઓ પરમકૃપાળુ પરમેશ્વર
મને પ્રેમળ પંથ બતાવોને
મારો જીવનપંથ છે ભૂલ ભર્યો
સ્વારથનો ઝંઝાવાત નર્યો
એ સ્વાર્થભર્યા મુજ અંતરમાં
પ્રભુ સર્વનું હિત વસાવોને
ઘડી રાગ કરું ઘડી દ્વેષ કરું
ઘડી અંતરમાં અભિમાન ભરું
છે અહંકારની અગન તણા
મુજ દિલના ડાઘ બુઝાવોને
તમે સ્નેહતણા છો મહાસાગર
નિષ્કારણ બંધુ કરુણાકર
હે સ્નેહસુધાની સરવાણી
મુજ ઉર આંગણ પ્રગટાવોને
છો માતપિતા બાંધવ સહુના
હિતકારી પ્રભુ જગજંતુના
હે સકલ વિશ્વના વાલેસર
એ વ્હાલની વાટ બતાવોને
સવિજીવન મિત્ર બનાવો મને
પ્રભુ ભાવધરી વિનવું તમને
એ આત્મદર્શનના પાઠ પ્રભુજી
ફરી ફરી સમજાવોને
એ વિશ્વપ્રેમના પાઠ પ્રભુજી
ફરી ફરી સમજાવોને
Courtsey: Jayshree Patel http://tahuko.com/?p=6552

“ KNOWINGLY OR UNKONOWLING IF WE HAVE HURT U IN ANY WAYS BY OUR ACTION,
OUR TALK OR OUR THOUGHT, WE HEARTLY BEG FOR YOUR FORGIVENESS.
“ MICHHAMI DUKKADAM “
KHAMEMI SAVVE JIVA:- I forgive all the living beings
SAVVE JIVA KHAMANTU :- May I seek pardon from all the living beings
MITTI ME SAVVA BHUTESU :- I am friendly towards all the living beings
VERAM MAJJHAM NA KENVI :- And seek enmity with none
MEANING:I forgive (from the bottom of my heart without any reservation) all living beings (who may have caused me any pain and suffering either in this life or previous lives), and I beg (again from the bottom of my heart without any reservation) for the forgiveness from all living beings (no matter how small or big to whom I may have caused pain and suffering in this life or previous lives, knowingly or unknowingly, mentally, verbally or physically, or if I have asked or encouraged someone else to carry out such activities). (Let all creatures know that) I have a friendship with everybody and I have no revenge (animosity or enmity) toward anybody .
“MICHHA MI DUKKADAM”
(I BEG YOUR FORGIVENESS.)
જે બોલો તે પાળવાની તૈયારી રાખવી …..રામચંદ્રજીની બાજુમાં હનુમાન બેઠા છે. સામેથી વિભિષણ આવે છે અને રામચંદ્રજી તેમને લંકા નરેશ કહીને બોલાવે છે.ત્યારે હનુમાનજી કહે લંકા તો આપણે જીતી તો વિભિષણ ક્યાંથી લંકાનરેશ થયા? રામચંદ્રજી કહે લંકા ભલે આપણે જીત્યા પણ રાજાને સ્થાને રાજ્યાભિષેક તો વિભિષણનો જ થશે. આમ કહી રામચંદ્રજીએ પારકાનુ પચાવી નહી પાડવાની રીત જાહેર કરી અને વિભિષણ ને પણ હૈયે ધરપત થઈ કે લંકા નરેશ થઇને તે જ રાજ્ય કરશે. હનુમાનજીએ પ્રતિપ્રશ્ન કર્યો કે અને જો રાજા રાવણ હારેજ નહીંતો..? તે સમયે રામચંદ્રજી એ મક્કમતાથી કહ્યું તો તેમને અયોધ્યાની ગાદી આપીને પણ મારુ તેમને રાજા બનાવવાનું પ્રણ પુરુ કરીશ્.તેથી જ તો કહ્યું છે ને કે રઘુકુલ રીત ચલી આઇ પ્રાણ જાયે પર વચન ના જાયે.

