“ જેના મનમાં શ્રી નવકાર, તેને શું કરશે સંસાર !!! ’’
જગતના સર્વ મંત્રોમાં શરોમણી મંત્ર આ નવકાર મંત્ર જ છે તેથી જ તો તેને સર્વ મંગળો માં ઉત્તમમંગળ રુપ સ્થાન મળ્યુ છે. નવકારને કેવળજ્ઞાન મંત્ર તરીકે પણ ઓળખી શકાય છે. એક નાનકડા ચેકમાં લાખો રિપયાનો સમાવેશ થાય છે. તેમ નવકારમાં સંપૂર્ણ રુદશાંગી ( અને સમાયેલી છે. નવકારમાં ) સંપૂર્ણ જિનશાસન સમાયેલુ છે. તીર્થમાં શેત્રુંજય, દેવમાં ઈન્દ્ર, યેત્રમાં તાધ્યચક્ર સતીમાં સીતા, મંત્રમાં નવકાર મંત્ર શ્રેષ્ઠ મંત્ર છે.
જેમ નક્ષત્ર સમુદાયનો સ્વામી ચંદ્ર છે તેમ સધલા પુણ્યનો સમુહનો સ્વામી શ્રી પંચ પર મેષ્ઠીને કરેલો ભાવ નમસ્કાર છે. જે ભાગ્યશાળી આત્માની મનરુપો ગુફામાં નવકારરુપી સિંહ બેઠેલો છે તેના મનમાં કર્મ રુપ હાથી કે કવિ કલ્પ રુપ હરણા પ્રવેશી શકતાં નથી. (more…)
“ મિત્તિમેં સવ્વ ભૂએસુ, વેરં મજઝં ન કેણઈ ’’
“ જગતના સર્વજીવો સાથે મારે મૈત્રી છે, મારે કોઈની પણ સાથે વેર નથી ’’ એમ કહીને પ્રભુ વીરે આજના યુવકોને સંતોષી જીવન જીવવાનો બોધ પાઠવ્યો છે. પ્રભુવીરે જિનેશ્ર્વર બનતાં પહેલા જગતા જીવ માત્ર સાથે મૈત્રી બાંધી હતી, તેઓ રહેતા, “ વેગળા રાખો તો વેર વધે, અળગા રાખો તો અદેખાઈ વધે, અળખામણા બનાવો તો સખણા રહે નહી માટે જીવ જ જીવનો મિત્ર છે. ’’ મૈત્રી સાધે તે માનવ, મહા મૈત્રી સાધે તે મહામાનવ અને પરમમૈત્રી સાધે તે પરમાત્મા, દુશ્મન બનનાર ને દુશ્મના વટનો મોકો જ મળવા ન દેવો, શત્રુતાને શયતાનિયતમાં પાંગરવા જ ન દેવી. સ્વમાં સર્વ ભળી જાય તો જ સર્વજ્ઞ બની શકાય. જગતના સર્વ જીવોને ચાહવાથી જગતની ચાહના મેળવી શકાય છે. જગત પૂજય બનવાનો આ સરળ કિમીયો પ્રભુ વીરે આજના યુવકો ને બતાડ્યો છે.
ગર્ભમાં રહીને માતાના સુખની ચિંતા કરનાર પ્રભુ વીરે આજના યુવકોને પ્રથમ સંદેશો આપ્યો કે, પરમ ઉપકારી માતાપિતાની સદા ભક્તિ કરો. બીજો સંદેશો નિર્ભયતાનો આપ્યો અને જણાવ્યું કે, હે યુવાનો ! અભય થયા વગર આત્મિક ઉન્નતિ નથી. તેમણે જનતાની ભાષામાં જ જગતને ઉપદેશ આપ્યો. યજ્ઞોમાં થતી પશુ હિંસા અટકાવી મુખ્ય સંદેશ અહિંસાનો અને એ દ્વારા આજના યુવકોને જણાવ્યું કે, તમે જે ધારો તે તમારા પ્રયત્ન થી થઈ શકે છે. તમારા ભાગ્યાના વિધાતા તમે પોતે જ છો ખુદ ઈશ્ર્વર પણ નથી. તમારે પાંચ મહાવ્રત પાળવા ધટે… અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. યાદ રાખો સત્ય સાપેક્ષ છે. તમે નિરખ્યું તે જ સત્ય એવો એકાન્તે આગ્રહ ન રાખો. અનેકાન્તવાદ વિચારમાં અને અહિંસા આચાર માં સ્વીકારો. ’’. (more…)
ધર્મ તો એમ માને છે .
આત્મા અમર છે. મૃત્યુ દેહનું છે આત્મા તો ક્ષણ નાં ત્રીજા ભાગમાં નવો દેહ ધારણ કરે છે
સામાન્ય બુધ્ધી કહે છે
ચેતનાનાં પ્રતિક સમો આત્મા જતા રહ્યાં પછી દેહ નકામો છે. દેહ ત્યાગની આ પ્રક્રીયા સગા વહાલાને રડાવે છે તે રુદ સ્વાર્થનું છે. હવે મારી મા નથી . હું નમાયો થઈ ગયો કે બા વિના બાપુજી એકલા પડી ગયા..તે પોતાનું ગાણૂં છે. અને તેથી જ કદાચ એ આત્મા જે દેહ ગુમાવી ચુક્યો છે તે કદી પાછો આવતો નથી.
રુદન જ્યારે સ્વનુકશાનનાં ગાન સ્વરુપે હોય તો તે કર્મબંધ કરે છે
જન્મ્યું તે જાય..નો નાદ જનાર સાથે ન જનારનો અફસોસ હળવો કરે છે.