આટલું તો આપજે ,ભગવાન મને છેલ્લી ઘડી ,
આટલું તો આપજે ,ભગવાન મને છેલ્લી ઘડી ,
ના રહે માયા તણાં બંધન મને છેલ્લી ઘડી .
આ જિંદગી મોંઘી મળી પણ જીવનમાં જાગ્યો નહીં ,
અંત સમયે મુજને રહે, સાચી સમજ છેલ્લી ઘડી,
હાથ પગ નિર્બળ બંને જો શ્વાસ છેલ્લા સંચરે
તું આપજે ત્યારે પ્રભુમય મન મને છેલ્લી ઘડી
હું જીવનભર સળગી રહ્યો, સંસારના સંતાપથી ,
તો આપજે શાંતિભરી નિદ્રા મને છેલ્લી ઘડી,
જયારે મરણ શૈયા પરે, મિચાય છેલ્લી આંખડી ,
તું આપજે ત્યારે પ્રભુ, દર્શન મને છેલ્લી ઘડી,
અગણિત અધર્મો મેં કર્યા ,તન મન,વચન, યોગે કરી,
હે ક્ષમાસાગર! ક્ષમા મુજને આપજે છેલ્લી ઘડી,
અંત સમયે આવી મુજને, ના દમે ઘટ દુશ્મનો ,
જાગૃતપણે મનમાં રહે તારું સ્મરણ છેલ્લી ઘડી,
( અજ્ઞાત સંત)
( આ પ્રાર્થના રોજ એક વાર વાંચવી. પ્રાયશ્ચિત એક શ્રેષ્ઠ અનુભવ છે અને તે દ્વારા ઘણા કર્મોનો ક્ષય થાય છે. આ અંત સમયની પ્રાર્થના તો છેજ પણ રોજ એક વખત વાંચવાથી મદ અને અભિમાન નાં રોગો આત્માને લાગતા નથી એવું કંઈક અલ્પમતિ મને જણાય છે. જે કોઇ )
NALIYA JAIN PILGRIMAGE PLACE -DINESH VORA
COPY AND PASTE OR CLICK
http://www.youtube.com/watch?v=XRVx0iaMb1M
DEDICATED
Temple primarily of Lord Chandraprabhu of Jainism.
With two other temples of Lord Shantinath and of Astapada.
LOCATED
Located on the Nagda street of the Naliya town in Kutch, Gujarat, India.
CREATED
Built on the Fifth day of the bright half of the month of Magh (Vasant Panchmi) in the year 1897 of the Vikram era. this extremely splendid temple with sixteen large peaks and fourteen pavilions
ART AND SCULPTURE
The beautiful carving on the stones of this temple, is famous for its special workmanship. The glass work is also very beautiful.
The sixteen peaks of this large temple, brightly shine like a heavenly residence.
E mail Courtsey: Mahendra Vora
નબળાઈ (via )
તક બાય ચાન્સ…
“સરી ગયેલી તક જીવનમાં ફરી નથી મળતી.પણ હા, નવી તકો જરુર મળે છે”
‘તક’ આ બે અક્ષરોનો નાનકડો શબ્દ બહુ લપસણો અને સરકણો હોય છે. વળી મનમૌજીલો પણ ખરો. જીવનના કયા વળાંકે ક્યારે એ સામે ભટકાઈ જશે એનો કોઇ જ સમય કે ધારાધોરણો પહેલેથી નક્કી નથી હોતા. આપણે બસ આપણી સમજદારીના આંખ અને કાન ખુલ્લા રાખી સતત આપણી આજુ-બાજુ એની હાજરીની એંધાણીઓ શોધતા રહેવું પડે. સજાગ સાબદા રહેવું પડે છે અને જરાક પણ અણસાર આવે એટલે ચીલઝડપથી એનું પગેરું ચાંપીને ફટાક દેતાંક્ને એનો ‘થપ્પો’ કરી દેવો પડે છે. જરાક પણ ગફલત રહેવાનું ના પોસાય એમાં. જોકે સાચી તકો સમયસર સમજવી અને ઝડપવી એ સરળ નથી. અમુક સમયે તક જતી રહે ને આપણે બીજા જ જ રસ્તે તક્ને શોધતા ફરતા હોઇએ..
એક અમેરિકન લેખક હતા હોર્થોન. એમને પોતાની ગવર્નમેન્ટની સલામત નોકરીમાંથી એકાએક જ બરતરફી મળી. એ નિરાશાની ખાઇમાં ગર્ત થઈ ગયા. જીવનની કટોકટી ભરેલી આ પળોએ એમની વ્હારે આવ્યા એમના મિત્રતુલ્ય પત્ની. નિરાશાના વાદળોમાંથી આશાની રોશની શોધી કાઢી અને પતિના ટેબલ પર એક પણ અક્ષ્રરનો વાદ્-વિવાદ કર્યા વગર શાહીનો ખડીયો અને કલમ મૂકીને કહ્યું,
“ ઘણા વખતથી તમારા મગજમાં નવલકથા લખવાનો વિચાર રમતો હતો તો ઇશ્વરે હવે એ વિચારને પૂર્ણ કરવાની તક આપી છે. તો ઝડપી લો હવે.જે થયું સારા માટે જ થયું. “ Read more…
“મિચ્છામી દુક્કડમ”
માફીની આ મહેફિલમાં, કંઇ મસ્તી નથી હોતી
ક્ષમાની આ સાધના, કંઇ સસ્તી નથી હોતી
ખામવા અને ખમાવવામાં જબરજસ્તી નથી હોતી
આપો દીલ શત્રુને તો વેરની હસ્તી નથી હોતી
We forgive all living beings and beg from the bottom of our hearts without any reservation,
for the forgiveness from all living beings to whom we may have caused pain and suffering
in this life or previous lives, knowingly or unknowingly, mentally, verbally or physically.
MICHHAMI DUKKADAM !
Email Courtsey : Dr. MJ Kapadia
નથી ખબર કે કેટલો અમારા માટે આદર
છતા રહે ભીની અમારા વાત્સલ્યની ચાદર
ફરી વાર એક ‘મિચ્છમી દુક્કડમ’ કહી તમને
કરું ખાલી બસ અમારા સંવીત મન વાદળ
વર્ષ દરમ્યાન થયેલ મતભેદ મનભેદ ન બને તેની તકેદારી રુપે “મિચ્છામી દુક્કડમ” કહી મત અને મન શુધ્ધી થતી હોય છે.ફક્ત આ માફી સાચા હ્રદયથી માંગવાની હોય છે.
Control of Kashay-Anop Vora
જૈન ધર્મ – ઇ બુક -ભદ્રબાહુ વિજય
E mail from Dr M J KapaDIa



