ધર્મધ્યાન

June 27, 2009

નવકાર મહામંત્રનું મહાત્મ્ય-નીલા એન. શાહ

Filed under: નીલા એન. શાહનાં નિબંધો — by vijayshah @ 11:40 am

 “ જેના મનમાં શ્રી નવકાર, તેને શું કરશે સંસાર !!! ’’

                                                     જગતના સર્વ મંત્રોમાં શરોમણી મંત્ર આ નવકાર મંત્ર જ છે તેથી જ તો તેને સર્વ મંગળો માં ઉત્તમમંગળ રુપ સ્થાન મળ્યુ છે. નવકારને કેવળજ્ઞાન મંત્ર તરીકે પણ ઓળખી શકાય છે. એક નાનકડા ચેકમાં લાખો રિપયાનો સમાવેશ થાય છે. તેમ નવકારમાં સંપૂર્ણ રુદશાંગી ( અને સમાયેલી છે. નવકારમાં ) સંપૂર્ણ જિનશાસન સમાયેલુ છે. તીર્થમાં શેત્રુંજય, દેવમાં ઈન્દ્ર, યેત્રમાં તાધ્યચક્ર સતીમાં સીતા, મંત્રમાં નવકાર મંત્ર શ્રેષ્ઠ મંત્ર છે.

                                                     જેમ નક્ષત્ર સમુદાયનો સ્વામી ચંદ્ર છે તેમ સધલા પુણ્યનો સમુહનો સ્વામી શ્રી પંચ પર મેષ્ઠીને કરેલો ભાવ નમસ્કાર છે. જે ભાગ્યશાળી આત્માની મનરુપો ગુફામાં નવકારરુપી સિંહ બેઠેલો છે તેના મનમાં કર્મ રુપ હાથી કે કવિ કલ્પ રુપ હરણા પ્રવેશી શકતાં નથી. (more…)

ભગવાન શ્રી મહાવીરની વિચારધારાને આજના યુવકો-નીલા એન. શાહ

Filed under: નીલા એન. શાહનાં નિબંધો — by vijayshah @ 11:38 am

  “ મિત્તિમેં સવ્વ ભૂએસુ, વેરં મજઝં ન કેણઈ ’’

“ જગતના સર્વજીવો સાથે મારે મૈત્રી છે, મારે કોઈની પણ સાથે વેર નથી ’’ એમ કહીને પ્રભુ વીરે આજના યુવકોને સંતોષી જીવન જીવવાનો બોધ પાઠવ્યો છે. પ્રભુવીરે જિનેશ્ર્વર બનતાં પહેલા જગતા જીવ માત્ર સાથે મૈત્રી બાંધી હતી, તેઓ રહેતા, “ વેગળા રાખો તો વેર વધે, અળગા રાખો તો અદેખાઈ વધે, અળખામણા બનાવો તો સખણા રહે નહી માટે જીવ જ જીવનો મિત્ર છે. ’’ મૈત્રી સાધે તે માનવ, મહા મૈત્રી સાધે તે મહામાનવ અને પરમમૈત્રી સાધે તે પરમાત્મા, દુશ્મન બનનાર ને દુશ્મના વટનો મોકો જ મળવા ન દેવો, શત્રુતાને શયતાનિયતમાં પાંગરવા જ ન દેવી. સ્વમાં સર્વ ભળી જાય તો જ સર્વજ્ઞ બની શકાય. જગતના સર્વ જીવોને ચાહવાથી જગતની ચાહના મેળવી શકાય છે. જગત પૂજય બનવાનો આ સરળ કિમીયો પ્રભુ વીરે આજના યુવકો ને બતાડ્યો છે.

                                                     ગર્ભમાં રહીને માતાના સુખની ચિંતા કરનાર પ્રભુ વીરે આજના યુવકોને પ્રથમ સંદેશો આપ્યો કે, પરમ ઉપકારી માતાપિતાની સદા ભક્તિ કરો. બીજો સંદેશો નિર્ભયતાનો આપ્યો અને જણાવ્યું કે, હે યુવાનો ! અભય થયા વગર આત્મિક ઉન્નતિ નથી. તેમણે જનતાની ભાષામાં જ જગતને ઉપદેશ આપ્યો. યજ્ઞોમાં થતી પશુ હિંસા અટકાવી મુખ્ય સંદેશ અહિંસાનો અને એ દ્વારા આજના યુવકોને જણાવ્યું કે, તમે જે ધારો તે તમારા પ્રયત્ન થી થઈ શકે છે. તમારા ભાગ્યાના વિધાતા તમે પોતે જ છો ખુદ ઈશ્ર્વર પણ નથી. તમારે પાંચ મહાવ્રત પાળવા ધટે… અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. યાદ રાખો સત્ય સાપેક્ષ છે. તમે નિરખ્યું તે જ સત્ય એવો એકાન્તે આગ્રહ ન રાખો. અનેકાન્તવાદ વિચારમાં અને અહિંસા આચાર માં સ્વીકારો. ’’. (more…)

May 20, 2009

મોક્ષ માર્ગ સહજ બને

Filed under: Uncategorized — by vijayshah @ 3:02 pm

કહે છે
જે તમને ચાહે છે તે તમારું પૂણ્ય છે
અને સૌ પાપો જે ધિક્કાર સ્વરૂપ છે

જીવવું એ કારીગરી શ્રેષ્ઠ બને

જ્યારે
પાપ અને પૂણ્ય શૂન્ય બને
તોજ મોક્ષ માર્ગ સહજ બને

October 15, 2008

એજ લક્ષ્ય..

Filed under: કાવ્ય — by vijayshah @ 3:25 pm

પ્રભુ દરસની પ્યાસ વધી
પ્રભુમાં સમાવાની આશ વધી
દયા કર હે કૃપાળુ પરમાત્મા
મુક્તિ તણી ઉત્તમ આશ વધી

સમજાયુ નિરર્થકપણું સંસારનું
વેરા આંતરાનું ગણિત સંસારનું
ખાલી હાથનું આવાગમન બધું
ફક્ત સહાય તારી જ ખરે સાચી

આયુષ્ય મળ્યુ તો તેને માણવું
રીત તો છે તે સાવ જ ખોટી
જે પ્રભુએ ત્યાગ્યુ તે પરનો મોહ
વિપરીત બુધ્ધી ભવાટવી જોગ.

મારું મારું જ્યાં કર્યુ તે તો ગયું
જાગ્યાત્યારે સમજાયું તે શમણું
ક્ષણનો પણ હો ના પ્રમાદ હવે
ભવાટવીની મુક્તિ એજ લક્ષ્ય

September 24, 2008

મૃત્યુ

 

ધર્મ તો એમ માને છે .

આત્મા અમર છે. મૃત્યુ દેહનું છે આત્મા તો ક્ષણ નાં ત્રીજા ભાગમાં નવો દેહ ધારણ કરે છે

સામાન્ય બુધ્ધી કહે છે

ચેતનાનાં પ્રતિક સમો આત્મા જતા રહ્યાં પછી દેહ નકામો છે. દેહ ત્યાગની આ પ્રક્રીયા સગા વહાલાને રડાવે છે તે રુદ સ્વાર્થનું છે. હવે મારી મા નથી . હું નમાયો થઈ ગયો કે બા વિના બાપુજી એકલા પડી ગયા..તે પોતાનું ગાણૂં છે. અને તેથી જ કદાચ એ આત્મા જે દેહ ગુમાવી ચુક્યો છે તે કદી પાછો આવતો નથી.

રુદન જ્યારે સ્વનુકશાનનાં ગાન સ્વરુપે હોય તો તે કર્મબંધ કરે છે

જન્મ્યું તે જાય..નો નાદ જનાર સાથે ન જનારનો અફસોસ હળવો કરે છે.

May 31, 2008

આત્મ સ્વરુપને જે જાણે તે મુક્તિને પામે(3)

ધર્મ કહે છે -આત્મા પર્માત્માનુ એક સ્વરુપ છે તેથી તે સર્વગુણ સંપન્ન અને અનંત વીર્ય અને અનંત શક્તિનો માલીક છે.

સામાન્ય બુધ્ધી આ વાતને સમજી નથી શકતી કે માની નથી શકતી કારણ કે જો આત્મા સર્વ ગુણ સંપન્ન હોય તો તે ભવાટવીમાં કેમ ભટકે છે? તેને જ્ઞાન હોય તો તે પાપના માર્ગે મુરખની જેમ કેમ ચાલ્યા કરે છે?
આ બધા પ્રશ્નોનો જવાબ કર્મ વિજ્ઞાને આપેલો છે તે પ્રમાણે આત્મા પ્રમાદમાં પડે છે તેથી તેના ઉપર વિવિધ કર્મના પુદગલો ખેંચે છે જે આત્માની શક્તિ કુંઠીત કરે છે જેમ ૧૦૦ વોલ્ટના બલ્બ ઉપર જાડા અપારદર્શક આવરણો લાગ્યા પછી તેમાંથી પ્રકાશ બહાર ન નીકળે તો વિજ્ઞાન અને સામાન્ય બુધ્ધી એમ જ કહેશે બલ્બ પ્રકાશીત નથી. પણ વાસ્તવમાં તો તે પ્રકાશીત છે તે પરિણામ આપણે આવરણો દુર કરીયે ને તરત દેખાય છે.

May 26, 2008

આત્મ સ્વરુપને જે જાણે તે મુક્તિને પામે.(2)

ધર્મ કહે છે આત્મા સહજાનંદી, શુધ્ધ સ્વરુપી, અવિનાશી છે. તે અનંત જ્ઞાન, દર્શન અને ચારિત્ર ધરાવે છે.
સામાન્ય બુધ્ધી આ જગ્યાએ ગોથુ ખાઈ જાય છે..અને મત-મતાંતરો આધારીત વિવાદોમાં ગુંચવાય છે.પહેલી ગુંચવણ એ છે કે આત્મા નિરાકાર છે તેથી કોઈ જૉઇ નથી શકતા તેથી બુધ્ધી વિજ્ઞાન નો આધાર લઈને ગુંચવય છે તેની હયાતી કે અસ્તીત્વ વિશે. જે લોકો ધર્મ અને પ્રભુવાણી સત્ય છે અને આચાર્ય ભગવંતો તે સત્ય ટકાવવા માટે મથે છે તેવા દરેક શ્રધ્ધેય માણસો એ સ્વિકારી લીધુ કે જેમ પવન દેખાતો નથી છતા અનુભવાય છે તેમ જ આત્મા છે અને જ્યારે મૃત્યુ થાય ત્યારે અનુભવાય કે આત્મા છે. 

આત્મ સ્વરુપને જે જાણે તે મુક્તિને પામે.

ધર્મ કહે છે આત્મા એ ચૈતન્ય સ્વરુપ છે. જે હયાત હોય તો તે જીવ અને તેની ગેર હાજરી તેને અજીવ કહેવાય છે.
સામાન્ય બુધ્ધી (સા.બુ.)કહે છે શરીરમાં જે જીવ હોય ત્યાં સુધીજ તેની નિત્ય ક્રિયા જેવી કે શ્વાસ લેવો હ્રદયનું ધબક્વુ કે હલન ચલન થાય્..તે ન હોય તો શરીર મૃત્યુ પામ્યુ કહેવાય.

જે શ્રધ્ધેય છે તે સમજે છે કે આ ચૈતન્ય સ્વરુપ અજર અને અમર છે. તે દેહ બદલે છે અને જ્યારે તે દેહ બદલે છે ત્યારે નાશવંત દેહ મૃત્ય પામ્યો તેમ કહેવાય છે. અને તેથી સદગત કે સ્વર્ગવાસી શબ્દ મૃત્યુ પામેલ વ્યક્તિ માટે વપરાય છે. સા.બુ. કહે છે આ શબ્દ પ્રયોગ આડાકતરી રીતે આત્મા શરીરથી જુદો છે તેમ સુચવે છે. 

May 16, 2008

આત્મા એટલે શું?

Filed under: સા. બુ. કહું તો.. — by vijayshah @ 2:28 pm

 

ધર્મ કહે છે

આત્મા-(જીવ) છે
તે નિત્ય છે
તે કર્મનો કર્તા છે
તેથી તે કર્મનો ભોક્તા પણ છે
મોક્ષ છે
મોક્ષનો ઉપાય છે.

સામાન્ય બુધ્ધી(સા.બુ.) વૈજ્ઞાનીક આધારો ઉપર વધારે ભાર મુકે છે તેથી ઘણા એમ માને છે કે “આપ મુઆ પીછે ડુબ ગઈ દુનિયા” અને કદાચ આજ કારણે પુનઃજન્મ અને મૃત્યુ પછી સ્વર્ગ મોક્ષ કે પર લોક અને મુક્તિની વાતો ને શંકાની નજરે હોતા હોય છે અને એવુ વિચારતો પણ હોય છે કે જે દેખાતુ નથી તે છે તે કેમ કરી માનવુ?
આ વિચાર કરનારાને ક્યારેય એવી કલ્પના નથી થતી કે તેના પ્ર પિતામહ કે પાંચમી પેઢીએ કોઇ દાદા હતા..કેમકે તેમનુ પોતાનુ અસ્તિત્વ એ તેમનો જવાબ છે..તેજ રીતે અરુપી આત્મા જોઇ નથી શકાતો તેથી તે નહીં માનવુ તે અજ્ઞાન છે.આત્મા છે અને તે કર્મો કરે છે અને તેથી તે કર્મો મુજબ ભવાંતરણ કરતો ૮૪ લાખ ભવોમાં ભટકે છે.

સ્વાધ્યાય કેમ કરવો જોઇએ?

Filed under: સા. બુ. કહું તો.. — by vijayshah @ 6:32 am

ધર્મ કહે છે “સ્વ”નો અભ્યાસ એટલે સ્વાધ્યાય.
અહીં “સ્વ” એટલે શરીરમાં વસેલો આત્મા.
તેહ્યી આત્મા વિશેનો અભ્યાસ એટલે સ્વાધ્યાય એવુ બૃહદ સ્વરુપે મનાય.

સામાન્ય બુધ્ધી (સા.બુ.)થી વિચાર કરીયે તો કાળ ચક્રના આ અઘરા આરામાં આત્મ જ્ઞાન એ લુપ્ત થતું જ્ઞાન છે.કારણ કે વિકસતા વિજ્ઞાને માનવને બહિર્મુખ બનાવ્યો છે. તેને સુખ ભૌતિક સ્થિતિમાં દેખાય છે. અને તેથી આત્મજ્ઞાન ને કે અંતરમુખ બનાવતા દરેક રસ્તા થી તે દુર ભગે છે. સુખ મળે તેવા દરેક સાધનોથી તે લગભગ આખી જિંદગી છેતરાય છે અને નવા કર્મોનાં અતિ જાડા અને ચીકણા કર્મો બાંધી તે ભવાટવીમાં જાણે અજાણે ભટક્યા જ કરે છે. ખરેખર તેનુ ધ્યેય તો ભવાટવીમાંથી મુક્ત થઈ સિધ્ધગામી મોક્ષ છે.આવુ સમજાવતું પરમાત્માનું જ્ઞાન અને તેનું ચિંતન તે સ્વાધ્યાય કહેવાય છે.

Next Page »

Powered by WordPress.com